સામાજિક ર્પ્રદાન

મને શરુઆતથી જ સમાજસેવા પ્રત્યે લગાવ વધુ રહ્યો છે. સામાજીક પ્રશ્નોને સરકારશ્રીમાં રજૂઆત કરી ઉકેલવા પ્રયત્ન કરવો, તેને દૈનિક પેપરના માધ્યમ દ્વારા વાચા આપવી. ઉપરાંત સાહિત્ય મિત્રોને કારણે સાહિત્યમાં રસ પડતા હિન્દી ગુજરાતીમાં લખવાનો રસ જાગ્યો અને સાથે સાથે થોડી ઘણી સામજિક સેવાઓ પણ ખરી.

મોજે મોટેરા ગામના પ્રશ્નો તેમજ દલિતોના પ્રશ્નો અંગે હમેશા જાગૃત રહી સરકારશ્રીમાં રજૂઆત, દેનિક પત્રોમાં પ્રકાશ પાડી પ્રશ્નોને વાચા આપી પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નો કરેલ છે. ભારતીય દલિત સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર અવોર્ડ ૧૯૯૯ માં મહાત્મા જ્યોતિબા ફૂલે અવોર્ડ ૨૦૦૨ માં ભગવાન બુદ્ધ ફેલોશિપ અવોર્ડ ૨૦૧૦ માં એનાયત કરેલ છે.